લાગણીઓને માપવાની
મેજરટેપ મળી જાય તો સારુ,
આ હ્રદયને કોણ સમજાવે,
છોડ આ પ્રેમની પળોજણ
આંખોથી આંખો દ્વારા રચાયેલી મોહજાળથી કોણ ઉગારે?
સૌ બાહ્ય ભભકો જોઈ અંજાઈ જાય,અંદરની ઝાકમઝોળ કોણ જાણે?
અંતર આત્મા સાથે લીન થઈ
જાવ તો સ્વયંને ઓળખી જશો
ગમે તેટલું છુપાવવા ચાહો,
પરંતુ પાપનો ઘડો છલકાઈ જાય છે,
એ જ નિયમ માન્ય છે,
કુદરતના રાજમાં ભૂસે ન ભુસાય આ સનાતન સત્ય ને.
શૈમી ઓઝા "લફ્ઝ"

No comments:
Post a Comment