Saturday, 26 February 2022

લાગણીઓનુ માપન.

 લાગણીઓને માપવાની

મેજરટેપ મળી જાય તો સારુ,


આ હ્રદયને કોણ સમજાવે,

છોડ આ પ્રેમની પળોજણ


આંખોથી આંખો દ્વારા રચાયેલી મોહજાળથી કોણ ઉગારે?


સૌ બાહ્ય ભભકો જોઈ અંજાઈ જાય,અંદરની ઝાકમઝોળ કોણ જાણે?


અંતર આત્મા સાથે લીન થઈ

જાવ તો સ્વયંને ઓળખી જશો


ગમે તેટલું છુપાવવા ચાહો,

પરંતુ પાપનો ઘડો છલકાઈ જાય છે,


એ જ નિયમ માન્ય છે,

કુદરતના રાજમાં ભૂસે ન ભુસાય આ સનાતન સત્ય ને.



શૈમી ઓઝા "લફ્ઝ"

No comments:

Post a Comment

પ્રાશ્ચિત

જેનુ દિલ દુભાયુ હોય જેનુ ખરાબ મારા કારણે થયુ હોય મનથી પણ કોઈને મારાથી ઠૈસ પહોંચી હોય તો દિલથી ક્ષમાપાર્થી છું,મન તન કર્મ વિચારો ...