Saturday, 14 May 2022

કાવ્ય:નરસિંહ મહારાજ....

નરસિંહ મહારાજ

જય નરસિંહ મહારાજ,
જય નારાયણ નારાયણ વંદન હો...

વધ્યો પૃથ્વી,સ્વર્ગ પર 
પાપચાર ત્યારે હરીએ યુગે યુગે અવતાર ધર્યો.દાનવને હણ્યા રાક્ષસ ને હણ્યા
પાપોનો નાશ કરી ધર્મનો શંખનાદ કર્યો.

હિરણ્યાક્ષને હરીએ હણી નાંખ્યો.
હિરણ્યકશિપુનું જેવું જોર વધ્યું,રાક્ષસના ઘરે હરીભક્ત અવતરે,
એવી લીલા કરે નારાયણ દિનદયાલ,
એનું પ્રહલાદ નામ,
ધરતી ત્રાહીમામ ત્રાહીમામ કરે,હિરણ્યકશિપુ એ પિતૃધર્મ એકબાજુ મુકી
અભિમાનથી ચુર થઈ
દિકરા પર વિતાવ્યો કાળોકેર....
તેડી ચોટી તાણી છેવટે નિષ્ફળતા હાથ આવી 
લોહસ્તંભને જેવી બાથ ભરીને નરસિંહ મહારાજ આવ્યા,તિક્ષ્ણ નખ વડે દાનવ હિરણ્યકશિપુને ચીરી નાંખ્યો....
જય નરસિંહ મહારાજ, નારાયણ અંશાવતાર જય જય જગતપતિ પાલનહાર
ભય કષ્ટ હણી અભયતાપ્રદાન કરશો મહારાજ વિનંતી આપની ચરણે એક મારી પ્રભુ....


જય નરસિંહ મહારાજ,
જય નારાયણ નારાયણ વંદન હો...


શૈમી ઓઝા "લફ્ઝ"

No comments:

Post a Comment

પ્રાશ્ચિત

જેનુ દિલ દુભાયુ હોય જેનુ ખરાબ મારા કારણે થયુ હોય મનથી પણ કોઈને મારાથી ઠૈસ પહોંચી હોય તો દિલથી ક્ષમાપાર્થી છું,મન તન કર્મ વિચારો ...